ll સૌરાષ્ટ્રના વિખ્યાતબરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનનીઓછા લોકોએ જોઇ હશે. જમીન પરઅવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચેવ્યવસ્થિત પથ્થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ રૂમ જોવા મળેછે. ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદરજિલ્લાના રાણાવાવ થી પાંચ કિલોમીટરના અંતરેબરડા ડુંગરની ગોદમાં પુરાતત્વના અભ્યાસુ અને પુરાતત્વવિદો માટે રસપ્રદ સ્થળ છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે.
ક્રૃષ્ણ અવતારમાં જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્થાપના કરી હતી તેમાં પાત મહાદેવનું શિવલીંગ મુખ્ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે. પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે.
દંતકથા એવી છે કે જાંબુવનનને ૧૦૮ શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે. આજે પણ જાંબુવન ગુફામાં અંદર ઉતરીને જોઇએ તો આ કુદરતી દ્રશ્ય જોવા મળે છે. ઉપરથી પાણીના ટપકાં ગુફાની માટીમાં પર ટપકે છે. કુદરતી રીતે બનતાં આ શિવલીંગો અદ્રશ્ય પણ થઇ જાય છે. અમરનાથમાં જેમ કુદરતી રીતે બરફનું શિવલીંગ બને છે એમ જાંબુવન ગુફામાં પાણીના ટપકાંથી માટીના બને છે. ભાવિકોમાં તે ભારે શ્રધ્ધાનું સ્થળ છે. તે ઉપરાંત ગુફામાં સોના જેવી ચળકતી માટી પણ જોવા માટેનુ કેન્દ્ર છે. રામાયણ યુગ જે મર્યાદાપુરૂષોતમનો તેત્રાયુગ ગણાય છે. ત્યારે જાંબુવન નામના શકિતશાળી રીંછની મદદ મળેલ માતાના સીતાનું અપહરણ કરી ગયેલ તે વિષે માહિતી આપેલ તેમ જ લંકાધીપતી રાવણ સાથે મર્યાદાપુરૂષોતમરામે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરેલ. રામસેનાનામાં જાંબુવનની ભૂમિકા મહત્વની હતી.
તે સમયે વિજય પ્રાપ્તના આનંદ સમયે જાંબુવનને મલ્લયોદ્ધા તરીકે શ્રેષ્ઠતા દર્શાવી. ત્યારે વરાદન આપેલ શ્રી પુર્ણપુરૂષોત્તમ વિષ્ણુ અવતાર વ્હાપરયુગમાં થશે જે શ્રીકૃષ્ણ અવતાર તરીકે પ્રસિદ્ધ થશે. આ સમય મહાભારતના યુદ્નો હશે તે યુદ્ધ સમયમાં શ્રી વિષ્ણુ-રામ-અવનાર શ્રીકૃષ્ણ સેનાની સાથે મલ્લયુદ્ધ કરી હરાવશે. ત્યાં સુધી તેમણે જાંબુવનને બરડા વિસ્તારમાં નિવાસ કરવો આજ તેની સાક્ષીરૂપે જાંબુવન ભોયરૂ હૈયાત છે. સ્વયંભૂ શિવલીંગ પર કુદરતી જલાધારી વરસે છે. ગુફામાં ૧૦૮ એકસો આઠ શિવલીંગ પર જલાભિષેક થાય છે. શ્રીકૃષ્ણ અવનારમાં શ્રીકૃષ્ણ પર સંયમ મસ્તક મણિ ચોરાયાનું આડ આવલ જે મણી જાંબુવન લઇ ગયેલ તે આડ ઉતારવા શ્રીકૃષ્ણ દ્વારકાથી ભોંયરા રસ્તે આદિત્યાણા જાંબવન ભોંયરામાં પહોંચેલ ત્યાં સંયમ મસ્તક મણિ બાકળના ધોડીયા પર લટકાડેલી જે લેવા માટે જાંબવન સાથે મલ્લયુદ્ધ કરી રામાયણ અવતારમાં આપેલી વચન સિદ્ધ કરેલ મુકિત આપેલ. મલ્લયુદ્ધમાં જીતેલ શ્રીકૃષ્ણ સાથે જાંબવનની પુત્રી જાંબવંતીને શ્રીકૃષ્ણ સાથે પરણાવી આપેલ જે શ્રીકૃષ્ણની સાત પટ્ટરાણીમાંની એક ગણાય છે. જેથી પોરબંદરનું અસ્તીત્વ અસ્મીત નગર તરીકે હોવું જોઇએ તેમ માની શકાય. ll
૨) ખીમેશ્વર મહાદેવ મંદિર
કુછડી
પોરબંદર જિલ્લા
ગુજરાત
*****************
આ સંકુલમાં પુરાતત્વ ની દૃષ્ટિએ અગત્યના એવા કુલ સાત મન્દિરો આવેલા છે
ખીમેશ્વર મહાદેવ મંદિર, ભારત દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુછડી ગામ પાસે આવેલું છે. પોરબંદરથી ૧૦ કિ.મી. દૂર, અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિરોનું સંકુલ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક (S-GJ-145) જાહેર કરાયેલું છે.
આ સંકુલમાં પુરાતત્વની દૃષ્ટિએ અગત્યનાં એવાં કુલ સાત મંદિરો આવેલાં છે:
જેમાં પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ ધીંગેશ્વર મહાદેવનું મંદિર જે ચૈતન્ય બારીના શિલ્પો ધરાવે છે.
પછી મુખ્ય ખીમેશ્વર મંદિર જે ચૈતન્ય બારીવાળું સાતમી સદીમાં નિર્માણ પામેલું છે.
બાજુમાં વલભી શીખર ધરાવતું નવદુર્ગા મંદિર છે જે પુરાતત્વ વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં અદ્વિતિય છે.
સામે પાર્વતીનું મંદિર છે જે ચૈતન્ય બારીવાળા બે ગવાક્ષો ધરાવતું સાતમી સદીમાં નિર્માણ પામેલું મંદિર છે.
તેની બાજુમાં દ્રવિડશૈલીનું શિખર ધરાવતું સુર્ય રાંદલ મંદિર છે જે પણ સાતમી સદીમાં નિર્માણ પામેલું છે.
તેની સામે ચાડેશ્વર મહાદેવનું મંદિર છે જેના શિખરમાં ભુમીકા શિલ્પ છે. આ મંદિરનું નિર્માણ દસમી સદીમાં થયેલું છે.
બાજુમાં દુધેશ્વર મહાદેવનું પૂર્વાભિમુખ મંદિર છે. જે પણ ભુમીકા શિલ્પવાળું દસમી સદીમાં નિર્માણ પામેલું મંદિર છે.
આ ઉપરાંત ખીમેશ્વર મહાદેવ મંદિરના ચોકમાં ગણપતિની નાની દેરી છે જેનું શિખર પર હાથીના મસ્તક આકારનું શિલ્પ છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની આ એકમાત્ર મહાદેરી છે. આ ઉપરાંત મંદિર સંકુલમાં કાલ ભૈરવની નાની દેરી, મહાકાળીનું મંદિર, પટાંગણમાં મૈત્રીક ખાંડણીયો, માતૃકા મુર્તિઓ, દુધેશ્વરનું શિવલીંગ તથા પગથીયાવાળી કોતરેલી જુની વાવ અને અન્ય અનેક શિલ્પો પડેલાં છે.
ઈ.સ.૪૬૮થી ઈ.સ.૭૮૮માં નિર્માણ થયેલું આ મૈત્રકકાળનું મંદિર પશ્ચિમ ભારતમાં અદ્વિતિય છે. આ એકમાત્ર એવું મંદિર છે જે કરિયામાં ગવાક્ષ સાથેની વલભી છત ધરાવે છે, જેને વક્રીય સ્કંધ આકારની રચના ટેકો પૂરો પાડે છે. એની અન્ય નોંધપાત્ર લાક્ષણિકતામાં છત નીચેની કાંગરી અને દંતાવલિ ઉપરાંત ગર્ભગૃહના દ્વારે સંલગ્ન દીવાલમાં ચૈત્ય પ્રકારની ભાત ગણાવી શકાય.
પૌરાણિક ઈતિહાસ-વાયકા:-વાયકા પ્રમાણે આ મંદિરનું મૂળ નામ ભીમેશ્વર મહાદેવ હતું. કુંતી તથા પાંચ પાંડવો યાત્રાએ નિકળ્યા અને ગુજરાતના આ પશ્ચિમ કિનારે પહોંચ્યા. અર્જુનને એવું વ્રત હતું કે શિવપુજન કર્યા વગર અન્નપ્રાશન કરવું નહીં. એથી અર્જુન અને ભીમ શિવમંદિરની શોધમાં નીકળ્યા. બહુ રખડપટ્ટીના અંતે ભીમની ધીરજ ખુટી એથી એણે એક યુક્તિ રચી અને અર્જુનથી છાનું રાખી સમુદ્રકિનારે રેતીનો મોટો ઢગલો રચ્યો અને અર્જુનને બોલાવી શિવલિંગ મળ્યાની જાણ કરી. અર્જુને શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યું અને પોતાનું વ્રત સાચવ્યું. પણ ભીમને તો ખરી વાતની જાણ હતી જ, આથી તેને હસવું આવ્યું. ભીમને હસતો જોઈ અર્જુને કારણ પૂછ્યું ત્યારે ભીમે સાચી વાત જણાવી અને અર્જુનની હાંસી કરી. પણ અર્જુને કહ્યું કે મેં પૂજન કર્યું તે તો શિવલિંગ સમજીને જ કર્યું અને હવે આ રેતીનો ઢગલો નથી પણ ખરે જ શિવલિંગ છે. ભીમે તેને ખોટો ઠેરવવા પોતે બનાવેલા રેતીના ઢગને બે હાથો વડે છીન્નભિન્ન કરવા પ્રયાસ કર્યો પણ શિવલિંગ વિખાયું નહિ. પ્રયાસ દરમીયાન ભીમની આંગળીઓની છાપ તેમાં ઊંડે સુધી બેસી ગઈ જે આજે પણ શિવલિંગ પર જોવા મળે છે.
ત્યાર પછી ભીમે પણ અર્જુનની ભક્તિનો સ્વીકાર કર્યો અને અહીં સ્થપાયેલાં શિવલિંગ પર એક મંદિર બાંધવાનું નક્કી કર્યું. નાના ભાઈ નકુળની મદદથી અહીં મંદિરનું નિર્માણ થયું જે ભીમેશ્વર મહાદેવ તરીકે ઓળખાયાનું પૌરાણિક કથાઓ અને વાયકાઓમાં કહેવાય છે.....
🙏હર હર મહાદેવ 🙏
No comments:
Post a Comment