Friday, January 17, 2025

ગુજરાતના પ્રવાસન સ્થળો રાજકોટ

૧) રોજડી 
૪૫૦૦ વર્ષ પહેલાં અહીં માનવ વસવાટ હતો...મકાન હતાં,વાસણો, અલંકારો, રમકડાં, ઓજારો નો ઉપયોગ કરતાં હતાં. સિંધુ ખીણની હડપ્પન સંસ્કૃતિ નું કિલ્લેબંધ નગર સાડા છ દાયકા પહેલાં પુરાતત્વ મહારત્ન, પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડ્યાએ ઉત્ખનન ( ખોદકામ) કરીને શોધ્યું.
      દેશ વિદેશમાં નોંધપાત્ર સ્થળ છે.પાઠય પુસ્તકમાં નોંધ છે.
       આજ સુધી રક્ષિત સ્મારક જાહેર કરી શક્યાં નથી.બાવળના જંગલમાં ફેરવાઈ ગયું છે, રસ્તો નથી, બોર્ડ નથી.
       સૌરાષ્ટ્રમાં આવેલા પ્રાચીન સંસ્કૃતિના સ્થળ રોજડી ( શ્રીનાથગઢ,જી.રાજકોટ) ની ઘોર અવગણના કેમ ❓ 
      મિડિયા, જાહેર જીવનનાં અગ્રણીઓ, યુનિવર્સિટી, શિક્ષણવિદો ને જાહેર અપીલ ,પુરાતત્વ વિભાગ અને રાજ્ય સરકાર ને આ અંગે જાગૃત કરી આપણી પ્રાચીન સંસ્કૃતિ બચાવવા પ્રયત્ન કરે.
  અનેક રજુઆતો કરવામાં આવી છે.
-શ્રી જયાબહેન ફાઉન્ડેશન,રાજકોટ ૯૮ ૨૫૨ ૧૮૯૦૩.

૪૫૦૦ વર્ષ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર અહીં શોધવામાં આવેલું છે.
૪૫૦૦ વર્ષ પહેલાંનાં માનવી ઉપયોગ કરતાં તે જુદાં જુદાં પ્રકારનાં વાસણો, અલંકારો, ઓજારો પણ ઉત્ખનન દરમિયાન મળી આવ્યાં છે.
અહીં સાઇટ મ્યુઝિયમ બનાવી તે પ્રદર્શિત કરવું જોઈએ.
આ શોધને વિશ્વભરમાંથી આવકાર મળ્યો હતો.
દેશ વિદેશનાં પુરાતત્વવિદો આ સ્થળની મુલાકાતે આવેલા.
પુરાતત્વ મહારત્ન, પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડ્યાની શોધ.
આ સ્થળને રક્ષિત જાહેર કરાશે? તે સ્થળની જાળવણી થશે❓❓
આજે ત્યાં બાવળનાં જંગલ છે.....રસ્તો નથી.. બોર્ડ નથી.
સૌરાષ્ટ્ર નું ગૌરવવંતુ સ્થળ,રોજડી (શ્રીનાથગઢ, જિલ્લો રાજકોટ.)
- શ્રી જયાબહેન ફાઉન્ડેશન, રાજકોટ.
૨) ખંભાલીડા ગુફાઓ
રાજકોટ જીલ્લા ના ગોંડલ તાલુકા થી 20 કી. મી. દૂર આવેલી ખંભાલીડા ગુફાઓ બૌદ્ધ ગુફાઓ છે. 
જાણીતા પુરાતત્વશાસ્ત્રી શ્રી પી. પી. પંડ્યા એ ઈ.સ. 1958 માં આ ગુફાઓ ની શોધ કરી હતી.
આ ત્રણ ગુફાઓ ચુના ના ખડકો કોતરીને બનાવવામાં આવેલ છે. હાલમાં આ ગુફાઓ ની દેખરેખ ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું કરે છે.
ગોંડલ-જેતપુર પાસે આવેલુ ખંભાલીડા ગુજરાતનું મોહેંજો દરો ગણી શકાય એવુ સ્થળ છે. અહીં 1800 વર્ષ જૂની બોદ્ધ ગુફાઓ આવેલી છે. પશ્ચિમ ભારતમાં આ ગુફાઓ સૌથી જૂની છે.
સરકારે આ સ્થળને પ્રવાસનના નકશામાં શામેલ તો કર્યું છે, પણ ખાસ સુવિધાઓ વિકસી નથી. ગુજરાતના ઈન્ડિયાના જોન્સ કહી શકાય એવા આર્કિયોલોજિસ્ટ પી.પી.પંડ્યાએ આ સ્થળ શોધી કાઢ્યુ હતું. રાજ્ય સરકારે રક્ષીત જાહેર કરેલા સ્મારકની જાળવણીનું કામ અત્યારે તો જયાબહેન ફાઉન્ડેશન દ્વારા કરાય છે. ગોંડલ-જેતપુર રોડ પરથી નીકળતી વખતે ઈતિહાસ પ્રેમીઓએ એ તરફ વળવા જેવુ છે. 

ગુજરાતના ગીરનાર પર્વતની ચારે દિશામાં એક સમયે બૌદ્ધ સ્તૂપો આવેલા હતા.

એમાંનો એક બોરીયા સ્તૂપ હયાત છે. ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા અને બોરીયા સ્તૂપ ની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા બોદ્ધ ધર્મના પતન પછી પરિક્રમા નામે થવા લાગી છે.

બોરીયા સ્તૂપના ઉત્ખનન દરમ્યાન મળેલા દાબડામાંથી સોનાની ડબી મળી હતી. ડબીમાંથી સાત રત્નો, ભસ્મ અને બોદ્ધિ વૃક્ષની ડાળીનો કટકો મળ્યો હતો,

જે ભગવાન બુદ્ધના છે.

ખંભાલીડા અને ઢાંકની બોદ્ધ ગુફાઓ મહાયન પંથની છે.

ખંભાલીડામાં ગુફાના પ્રવેશદ્વાર ઉપર માનવ કદની અવલોકિતેશ્વર પદ્મપાણી અને અવલોકિતેશ્વર વજ્રપાણીની મૂર્તિઓ કંડારવામાં આવી છે. અલભ્ય કોતરકામ છે.

ઢાંકમાં છીંછરા વોંકળાના કાંઠે જુના પથ્થરની ઊંચી ભેખડમાં બુદ્ધના 10 ચિત્રો કંડારવામાં આવ્યા છે, જે આજે પણ દ્રષ્ટિમાન છે.


No comments:

Post a Comment