પાટણ -અણહિલપુર પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી.પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખવામાં આવ્યું હતું. પાટણ ગુજરાતના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
--સોલંકીયુગની વીરતા વૈભવ અને વિદ્યાનું પ્રતીક એટલે પાટણ,
--700 વર્ષ સુધી પશ્ચિમ ભારતની રાજધાની તરીકેનું સ્થાન જાળવી રાખનાર શહેર એટલે પાટણ.
--પાટણ એટલે આઠમી સદીનું ચૌલુક્ય વંશના ચાવડા, વાઘેલા અને પછી સોલંકી રાજાઓ દ્વારા સ્થપાયેલું. રાણી મીનળદેવી અને મંત્રી મુંજાલ મહેતા ના કુશળ વહીવટ વાળું ગુજરાતનું પાવર સેન્ટર.
--પાટણ એટલે જેણે સોમનાથને ધ્વંશ કરવા આવતા ગઝનીને પ્રથમ પ્રતિકાર આપ્યો..!
--પાટણ એટલે ઐતિહાસિક રાણકી વાવ,
--પાટણ એટલે સહસ્ત્રલિંગ તળાવ,
--પાટણ એટલે ઘીમાં બનેલા ગળ્યા ગળ્યા દાબડા (મીઠાઈ)
પણ....
પાટણ અધુરું છે એક ઉલ્લેખ વિના. પાટણ ત્યારે જ પુરુ થાય જ્યારે તેની ઓળખ સાથે જોડાય પટોળા.
જી હાં, પાટણના પટોળા વિશે ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. લાખોની કિંમતના પટોળા આજે તો દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. પણ, ખૂબ ઓછા લોકો જાણે છે કે પટોળા એ પાટણના નથી. પાટણના પટોળા નો ઈતિહાસ રસપ્રદ છે. પટોળાની પરંપરા આશરે 800થી 900 વર્ષ જૂની છે.
ગુજરાતે દત્તક લીધેલી છે આ કળા !
પટોળાના ખૂબ જ જાણીતા કલાકાર વિજયભાઈ સાલ્વીનું કહેવું છે કે પટોળા મૂળ દક્ષિણ ભારતમાંથી પાટણ આવ્યા છે. જૈન રાજા કુમારપાળને પૂજા કરવા માટે રોજ રેશમી કપડાની જરૂર પડતી. પરંતુ કુમારપાળ જે કપડું વાપરતા તે પવિત્ર ન હતું. સમયાંતરે કુમારપાળના કાને મહારાષ્ટ્રમાં બનતા પટોળાના વખાણ પહોંચ્યા. કુમારપાળે ત્યાંથી પટોળા મંગાવવા તજવીજ કરી પરંતુ જાલનાના રાજા પટોળાનો એકવાર ઉપયોગ કર્યા પછી જ બહાર મોકલતા. એક વખત વપરાયેલું પટોળું પવિત્ર ન ગણાય એટલે તેને પૂજામાં વાપરી ન શકાય. એટલે કુમારપાળે મુંગી પટ્ટમ ગામના 700 જેટલા સાલ્વી કુટુંબોને જ પાટણમાં વસાવી દીધા. બસ ત્યારથી પટોળા ગુજરાતની ઓળખ બની ગયા.
પટોળા વિશેની આ કહેવત પણ તમે સાંભળી જ હશે.
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં
આ કહેવત પ્રમાણે પટોળા પર બનેલી ડિઝાઈન વર્ષો સુધી ટકી શકે છે. કહેવાય છે કે પટોળા સાડી એ 70-80 વર્ષ સુધી ફાટતી નથી. અને જો પટોળું ફાટી પણ જાય તો તેની ડિઝાઈન તો ભૂંસાતી જ નથી. એટલે જ કહેવતમાં કહેવાયું છે ફાટે પણ ફીટે નહીં.
છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે
રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
૧) સહસ્ત્રલિંગ તળાવ
ઈ. સ. ૧૦૮૪માં રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ બનાવ્યું હતું. સહસ્ત્રલિંગ તળાવ એટલે સો શિવલિંગનું તળાવ. આ તળાવ દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. આ તળાવ ટેકનોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં તમામથી ચડિયાતું છે.
સહસ્ત્રલિંગ તળાવ પાટણ, ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે.
તેનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે.
સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૨-૧૧૪૨)ના શાસન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં બાંધકામ કરેલા કૃત્રિમ તળાવોમાંનું સહસ્ત્રલિંગ તળાવ એક છે.
૧૫૬૧માં અકબરનો શિક્ષક બહેરામ ખાન મક્કા જતી વખતે પાટણ થઇને ગયો હતો અને તે વખતે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે હોડીમાંથી ઉતરતી વખતે તેની હત્યા થઇ હતી.
સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ તળાવ ખોદનારા ઓડ જ્ઞાતિના રૂડાની પત્નિ જસ્મા ઓડણની સુંદરતા પર મોહી ગયો અને તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે જસ્માએ તેને શ્રાપ આપ્યો હતો.
આ શ્રાપને કારણે તળાવ ખાલી હતું અને શ્રાપ દૂર કરવા માટે માનવ બલિની જરૂર હતી. ત્યારે નીચી ગણાતી જ્ઞાતિના માયો (વિર મેઘમાયા) એ પોતાનું બલિદાન આપ્યું અને તળાવમાં પાણી ભરાયું.
૨) વાધેલ ગામ
વાઘેલ ગામ
તા :- હારીજ
જી:- પાટણ
વૈરાયનાથ દાદા ગુરુ દ્રાર આશ્રમ:-
--------------------------------------------
પાટણની નજીક આવેલા વઢિયારનો આ પ્રદેશ પાટણપતિ મુળરાજે પોતાના ભત્રીજા વ્યાધ્રદેવને જાગીરમાં મળતા આ પ્રદેશ વ્યાધ્રપલ્લી તરીકે ઓળખાયો જે અતિયારે વાઘેલ ગામે પ્રસિદ્ધ છે.
વાઘેલા વંશના સંત વૈરીનાથ દાદા નો આશ્રમ પ્રાચીન વાઘેલ ગામમા આવેલો છે. આશ્રમ ની અંદર સુંદર શિવાલય આવેલુ છે. આશ્રમ ની અંદર અખાડા ના મહંત રહેછે. ખુબ જુની જાણીતી જગ્યા છે.
વઢિયાર મહાન સંત વૈરાયનાથ દાદા :-
--------------------------------------------------
વાઘેલ ગામ મા વૈરાયનાથ દાદા મહાન સંત હતા . લોક વાયકા મુજબ વઢિયાર ના પ્રદેશ ના જંગલો મા વરસો વર્ષ તપ કરેલુ હતુ. તેઓ અંતર્યામી ત્રિકાળજ્ઞાની હતા. કહેવાય છે કે તળાવ ની પેલી પાર આવેલા મંદિર મા બીરાજમાન વાઘેશ્વરી (સિદ્ધેશ્વરી ) માતાજી ના દર્શન કરવા જતાં . તે સમયે તળાવ માં રહેલુ પાણી તેમને રસ્તો આપી દેતુ હતુ. હાલ વાઘેલ ગામ ની સીમ માં તેમને લીધેલી સમાધી મોજુદ છે. સમાધી પર મંદિર અને તેમની મૂર્તિ સ્થાપિત કરેલી છે.
ભુતાવણ તળાવ 💧:-
____________________
૫૦૦ એકરમાં પથરાયેલુ ભુતાવળ તળાવ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. આ તળાવ ૧૧૦૦ વરસ જુનુ છે. પાટણના મહારાજધિરાજ સિદ્ધરાજ જયસિંહ ના સમયમાં આ તળાવ બાબરા ભુતે સુવ્યવસ્થિત બનાવયુ હતુ. આ તળાવમા પાણીનો સંગ્રહ અને રિચાર્જ થાય તેવી તેની રચના છે . કુલ ૬ પગથીયા ૭ મો ઓવારો હતો આમ ૭ પડાવ અને ૪૯ પગથીયા હતા. તળાવની ગોળ બાંધણી હતી . પાણીનુ ગારળ થાય તેના માટે ત્રણ મોટી ગારળી ઓ બનાવેલી છે. તે ઉપરાતં તળાવ ની ફરતે ૧૦૧ શિવ મંદિરો પણ હતા તેમા સોલંકી કાલીન સુદર કોતરણી જોવા મળે છે. તળાવ ની મધ્યમાં એક ટેકરી છે તેની અંદર ભોયરુ હોવાની લોક વાયકા તે સમયે બનાવામા આવેલા ભોયરાના માર્ગે છેક પાટણ જવાતુ હતુ.
લુણસળ તળાવ :- 💧
_____________________
ભુતાવળ તળાવ ની પાસે લાવણ્ય તળાવ( લુણસળ તળાવ) જે ધોળકાના અને ભીમપલ્લીના મહામંડલેશ્વર (રાળક) લવણપ્રસાદજી વાઘેલા દ્રારા બંધાવેલુ હતુ. કહેવાય છે કે ધોળકાની જવાબદારી પોતાના વિરપુત્ર વિરધવળને સોપી તેવો વાઘેલ ગામને પણ પોતાનુ બીજુ આવાસ બનાવયુ હતુ. લવણપ્રસાદજી ગુજરાતના ધણા લેખોમાં “વ્યાધ્રપલ્લીય” તરીખે ઉલ્લેખ જોવા મળેછે. બંને તળાવની વચ્ચે આવેલી ગરળી માંથી લુણસળ તળાવનુ પાણી ગળાયને ભુતાવળ તળાવમાં જતુ હતુ. બારેમાસ પાણીથી છલો છલ બનેં તળાવ રહેતા.
આ બંને તળાવોની રચના અદભુત છે. સચોટ રચના , ઇજનેરી કૌશલ્યની , તળાવની ચારેબાજુ આવેલા ભગ્ન અવસ્થામાં પડેલા સુંદર કલાત્મક કોતરણી વાળા પથ્થરો જે સોલંકી અને વાઘેલા સુવર્ણ યુગ ની યાદ અપાવે છે.
No comments:
Post a Comment